Saturday, July 27, 2013

સમાજિક વિજ્ઞાન માટે

ધોરણ-૭  સામાજિક વિજ્ઞાન  પ્રથમસત્ર
પાઠ-૧  : બે મહારાજ્યો
૧  કનોજ
૦૧
હર્ષવર્ધનનો સમયગાળો જણાવો.
ઈ.સ. ૬૦૬ થી ૬૪૭
૦૨
હર્ષવર્ધનના પિતાનું નામ જણાવો.
પ્રભાકરવર્ધન
૦૩
હર્ષવર્ધનના મોટાભાઈનું નામ જણાવો.
રાજ્યવર્ધન
૦૪
રાજ્યવર્ધનનું મોત કોના કારણે થયું ?
ગૌડ રાજવી શશાંકને કારણે
૦૫
હર્ષવર્ધનની બહેનનું નામ શું હતું ?
રાજ્યશ્રી
૦૬
હર્ષવર્ધનની બહેન રાજ્યશ્રીને કોને કેદ કરી હતી ?
માળવાના રાજા દેવગુપ્તે
૦૭
હર્ષવર્ધને કોની સલાહથી રાજગાદી સંભાળી ?
રાજ્યના આગેવાનોની સલાહથી
૦૮
હર્ષવર્ધને કઈ રાજગાદી સંભાળી ?
થાણેશ્વરની રાજગાદી 
૦૯
બૌદ્ધ સાધુનું નામ શું હતું ?
દિવાકર મિત્ર
૧૦
હર્ષવર્ધને માળવાના કયા રાજાને હરાવ્યો ?
દેવગુપ્ત
૧૧
હર્ષવર્ધને કામરૂપ (આસામ)ના કયા રાજા સાથે મૈત્રીસંબંધો બાંધ્યા ?
ભાસ્કરવર્મન
૧૨
હર્ષવર્ધનને દક્ષિણના કયા રાજવીને હરાવવામાં સફળતામળી નહીં ?
ચાલુક્ય રાજવી પુલકેશી બીજો
૧૩
હર્ષવર્ધને સતત કેટલા વર્ષ સુધી વિજયયાત્રા કરી ?
સાત વર્ષ
૧૪
હર્ષવર્ધન પોતાના રાજ્યની જાતે દેખરેખ રાખવા માટેશું કરતો હતો ?
પ્રવાસ કરતો હતો
૧૫
હર્ષવર્ધને પોતાની દિનચર્યાને કેટલા ભાગમાં વહેંચીહતી ?
ત્રણ ભાગમાં
૧૬
હર્ષવર્ધનની દિનચર્યાના ત્રણ ભાગ કયા કયા છે ?
૧.વહીવટ માટે ૨.પ્રજા કલ્યાણ માટે ૩.ધાર્મિક કાર્યો માટે
૧૭
હર્ષવર્ધન કેવા કાર્યો કરવામાં ભોજન પણ ભૂલી જતો હતો ?
સદ્કાર્યો કરવામાં
૧૮
હર્ષવર્ધનના મંત્રીઓમાં કોનો કોનો સમાવેશ થતો હતો ?
સેનાપતિ,પ્રતિહાર(દ્વારપાલ),સંધિવિગ્રાહક(વિદેશમંત્રી),રાજદૂત,પરરાજ્યમંત્રી,મહાદંડનાયક (વડાન્યાયાધીશ),અક્ષપટલિક(નોંધણીકરનાર)
૧૯
હર્ષવર્ધને શેની પર પ્રતિબંધ ફરમાવ્યો હતો ?
જીવહિંસા પર
૨૦
હર્ષવર્ધન પ્રતિવર્ષ શેનું આયોજન કરતો હતો ?
બૌદ્ધધર્મ ચર્ચા-સભા
૨૧
હર્ષવર્ધન દર પાંચ વર્ષે શેનું આયોજન કરતો હતો ?
પ્રયાગ મુકામે ધર્મપરિષદનું આયોજન
૨૨
હર્ષવર્ધનના દરબારની શોભામાં કોના કારણે વૃદ્ધિ થતી હતી ?
સુસંસ્કૃત સાહિત્યકાર મહાકવિ બાણભટ્ટ
૨૩
બાણભટ્ટની પ્રખ્યાત કૃતિઓ કઈ છે ?
હર્ષચરિત, કાદમ્બરી
૨૪
બાણભટ્ટે કઈ ભાષામાં પોતાની કૃતિઓ લખી છે ?
સંસ્કૃત ભાષામાં
૨૫
હર્ષવર્ધને રચેલા ત્રણ નાટકોના નામ આપો.
નાગાનંદ,રત્નાવલિ,પ્રિયદર્શિકા
૨૬
હર્ષવર્ધનના રાજ્યમાં કઈ મહાન વિદ્યાપીઠ આવેલી હતી ?
નાલંદા વિદ્યાપીઠ
૨૭
હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે કેટલા ગામ આપ્યા હતા ?
૧૦૦ જેટલાં ગામ
૨૮
લોહ,સોમલ અને પારાની ભસ્મનો ઔષધિ તરીકે ઉપયોગ સૂચવનાર રસાયણશાસ્ત્રીનું નામ આપો.
નાગાર્જુન
૨૯
નાગાર્જુન કઈ વિદ્યાપીઠ સાથે સંકળાયેલા હતા ?
નાલંદા વિદ્યાપીઠ
૩૦
નાલંદા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને કેવી રીતે પ્રવેશ આપવામાં આવતો હતો ?
પ્રવેશ પરીક્ષા પાસ કરે તેને 
૩૧
નાલંદા વિદ્યાપીઠમાં રહેવા, જમવા તથા શિક્ષણ મેળવવાની વ્યવસ્થા કેવી હતી ?
નિ:શુલ્ક હતી
૩૨
નાલંદા વિદ્યાપીઠના ભવ્ય અને સમૃદ્ધ પુસ્તકાલયનું નામ શું હતું ?
ધર્મગંજ
૩૩
હર્ષવર્ધનના સમયમાં પ્રજામાં કયા કયા કુરિવાજો હતા ?
સતીપ્રથા,બાળલગ્નો,બહુલગ્નોની પ્રથા
૩૪
હર્ષવર્ધનના સમયમાં લોકો કેવા અલંકારો ધારણ કરતાં હતા ?
ફૂલમાળા,વેઢ,વીંટીઓ,કડાં,કંગન,હાર વગેરે
૩૫
હર્ષવર્ધનના સમયમાં ગામડાઓમાં ફરીને લોકોને મનોરંજન કોણ પૂરું પાડતું હતું ?
નટ અને મદારી
૩૬
હર્ષવર્ધનના સમયમાં પ્રજાનો મુખ્ય વ્યવસાય કયો હતો ?
કૃષિ અને પશુપાલન
૩૭
હર્ષવર્ધનના સમયમાં જમીન મહેસૂલ કેટલું લેવામાં આવતું હતું ?
૧:૬ (ઉપજનો છટ્ઠો ભાગ)
૩૮
હર્ષવર્ધનના સમયમાં આંતર-બાહ્ય વ્યાપાર કોને હસ્તક હતો ?
વૈશ્યોને હસ્તક
૩૯
વ્યાપાર માટે કયાંથી કયાં સુધી સળંગ રાજમાર્ગની સુવિધા રાજ્ય તરફથી કરવામાં આવી હતી ?
પાટલીપુત્રથી ભૃગુકચ્છ બંદર (હાલનું ભરૂચ) સુધી
૪૦
વ્યાપાર વિનિમય માટે કેવા સિક્કાનું ચલણ હતું ?
સોના-ચાંદીના સિક્કાનું ચલણ
૪૧
કઈ કઈ વસ્તુઓની નિકાસ કરવામાં આવતી હતી ?
અલંકારો,મૂર્તિઓ,હાથીદાંત,ઇમારતી લાકડાનું રાચરચીલું બનાવી તેની નિકાસ થતી
૪૨
હર્ષવર્ધનના સમયમાં ભારતમાં આવેલ ચીની મુસાફરનું નામ શું હતું ?
હ્યુ-એન-ત્સાંગ
૪૩
હ્યુ-એન-ત્સાંગ શા માટે ભારત આવ્યો હતો ?
બૌદ્ધધર્મના અભ્યાસ માટે
૪૪
હ્યુ-એન-ત્સાંગે કઈ પ્રાચીન વિદ્યાપીઠમાં ૫ વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો ?
નાલંદા વિદ્યાપીઠ
૪૫
હ્યુ-એન-ત્સાંગ ક્યારે ચીન પરત ફર્યો ?
ઈ.સ. ૬૪૫ માં
૪૬
હ્યુ-એન-ત્સાંગ કયા રસ્તે ચીન પરત ફર્યો ?
મધ્ય એશિયાના રસ્તે થઈ ચીન પરત ફર્યો
૪૭
હ્યુ-એન-ત્સાંગ પોતાની સાથે શું શું લેતો ગયો ?
કેટલાંક પુસ્તકો,અવશેષો અને મૂર્તિઓ
૪૮
હર્ષવર્ધને ઉજવેલ કઈ બૌદ્ધ ધર્મપરિષદમાં હ્યુ-એન-ત્સાંગે ભાગ લીધો હતો ?
પ્રયાગની છઠ્ઠી બૌદ્ધ ધર્મપરિષદમાં
૪૯
હ્યુ-એન-ત્સાંગના મતે હર્ષવર્ધનના રાજ્યોમાં કેટલાં બૌદ્ધ મઠો હતો ?
૧૦૦ બૌદ્ધ મઠો

ધોરણ-૭  સામાજિક વિજ્ઞાન  પ્રથમસત્રપાઠ-૧  : બે મહારાજ્યો૨ – વાતાપી

૦૧
દક્ષિણના કયા રાજા સામે હર્ષવર્ધનની હાર થઈ હતી ?
પુલકેશી બીજો
૦૨
દક્ષિણ ભારતમાં ચાલુક્ય (સોલંકી) વંશે કયા નગરમાં પોતાની રાજધાની રાખી ?
વાતાપી નગરમાં (બાદામી કર્ણાટક)
૦૩
અશ્વમેઘ યજ્ઞ કોને કરાવ્યો હતો ?
પુલકેશી પહેલાએ
૦૪
તેના ધ્વજમાં શેનું ચિહ્ન હતું ?
વરાહાવતારનું ચિહ્ન 
૦૫
પુલકેશી પહેલા પછી તેમની ગાદી કોને સંભાળી હતી ?
પુલકેશી પહેલાનો પુત્ર કીર્તિવર્મા
૦૬
કીર્તિવર્મા પછી રાજગાદી કોને સંભાળી હતી ?
પુલકેશી પહેલાનો ભાઈ મંગલેશ
૦૭
મંગલેશ રાજા બન્યા પછી તેને કયું મંદિર બંધાવ્યું હતું ?
વિષ્ણુમંદિર
૦૮
મંગલેશ પછી રાજગાદી કોને સંભાળી હતી ?
પુલકેશી બીજો
૦૯
પુલકેશી બીજાનો સમયગાળો જણાવો.
ઈ.સ. ૬૧૦ થી ૬૪૨ સુધી
૧૦
પુલકેશી બીજાએ આશરે કેટલા વર્ષ સુધી રાજ્ય કર્યું ?
૩૦ વર્ષ સુધી
૧૧
પુલકેશી બીજાએ કયા કયા પ્રદેશો જીત્યા હતા ?
લાટ (દક્ષિણ ગુજરાત), ગુર્જર (ઉત્તર ગુજરાત), કૃષ્ણા અને ગોદાવરી વચ્ચેના વેંગી પ્રદેશો, આન્ધ્રપ્રદેશ
૧૨
પુલકેશી બીજો અને હર્ષવર્ધન કયાં ભેગા થયા અને મોટું યુદ્ધ થયું ?
નર્મદા પાસે
૧૩
હર્ષવર્ધનની વિજયકૂચ કોને થંભાવી દીધી ?
પુલકેશી બીજાએ
૧૪
હર્ષવર્ધન – પુલકેશી વિગ્રહથી કનોજનું સામ્રાજ્ય ક્યાં સુધી આવીને અટકી ગયું ?
નર્મદા સુધી
૧૫
પુલકેશી બીજો શેનો શોખીન હતો ?
કળા (કલા) નો
૧૬
પુલકેશી બીજાના સમયમાં કઈ કઈ ગુફાઓ નિર્માણ પામી હતી ?
વાતાપી અને ધારાપુરીની ગુફાઓ, અજંતાની ગુફાઓ
૧૭
પુલકેશી બીજાનું મૃત્યુ કેવી રીતે થયું ?
કાંચીવરમના પલ્લવ વંશના રાજા સાથે યુદ્ધમાં લડતાં લડતાં પુલકેશી બીજાનું મૃત્યુ થયું (ઈ.સ. ૬૪૨ માં)
૧૮
હર્ષવર્ધનનું મૃત્યુ ક્યારે થયું હતું ?
પુલકેશી બીજાના મૃત્યુ પછી પાંચ વર્ષે (ઈ.સ. ૬૪૭ માં)

No comments:

Post a Comment